ઉત્તરકાશી રુદ્રાવાસમાં રોકાયેલ સ્વામી આનંદ કપડાં સૂકવતાં સાથી સાધુ સામે બળાપો કાઢે છે. સાહસિક પ્રવૃત્તિઓ કે લોકો પ્રત્યે આપણાં લોકો કેટલાં ઉદાસીન છે એ બાબતે. વિદેશમાં આવાં લોકોને અન્યો તરફથી કેટલો ઉત્સાહ અને મદદ મળે જો કોઈ સાહસ માટે તૈયારી બતાવી નીકળી પડવા તત્પર હોય તો. આપણે ત્યાં ભણેલાં લોકો ખરાં પણ સાહસિક વ્યક્તિતો દરિયામાં ખસખસ જેટલાંય ન મળે. સ્વામીજીની સરખામણીની રીત મલકાવી જાય એવી પણ એકદમ સચોટ, આજેય એટલી જ સાચી.
આ વાત એમની બાજુમાં રહેતાં સાધુએ સાંભળી, બહાર આવી પૂછ્યું તમારાં પાડોશીને વિશે કાંઈ જાણો છો? ખૂબ ઓછાં બોલા સ્વામી પ્રબોધાનંદજી એમની બાજુમાં રહેતાં. ફિલોસોફી ભણેલાં આ ખડતલ સાધુ પાસે વાત કઢાવવી અઘરી હતી પણ જે જાણકારી હતી એટલાં પરથી સ્વામી આનંદને અંત્યંત ઉત્સુકતા હતી. કેમ ના હોય? એ જમાનામાં સાવ ટાંચા સાધનો સાથે ગંગોત્રીથી બદરીનાથ! મારી પણ હાલત કાંઈ એવી જ થઈ અને એક બેઠકે આ નાનકડું પુસ્તક વાંચી ગઈ.
Across the Gangotri glasiar અથવા ગુજરાતીમાં 'બરફ રસ્તે બદરીનાથ'.
સ્વામી પ્રબોધાનંદજી એ જ્યારથી કોઈ બર્ની સાહેબ વિશે સાંભળેલું જે ગોમુખથી કાલિંદી ઘાટ થી બદરીનાથ પહોંચેલ ત્યારથી એ ઈચ્છા પણ બીજા વિશ્વયુદ્ધ ને લીધે અટકવું પડ્યું. છતાં એનાં વિશે જે માહિતી એકઠી કરી શકાય તે કરતાં ગયાં. આજે આપણે ઇન્ટરનેટનાં જમાનામાં કદાચ સમજી પણ ન શકીએ કે એ પણ કેટલી અને કેવી કુસ્તીનું કામ હશે.
સ્વામી પ્રબોધાનંદજી સાથે બીજા પાંચ સાધુઓ અને ગાઈડ તરીકે દલીપસિંઘ આમ ટોટલ સાત જણની ટોળીએ આ અંત્યંત સાહસિક સંકલ્પ લીધો. એમની પાસે પરદેશી પર્વતારોહીઓની માફક જાતજાતનાં સાધનો કે વધુ કાંઈ સગવડ પણ નહીં. એમાંય બે સાધુ દિગંબર. છ દિવસનાં આ સાહસ માટે બે જોડી સન ગ્લાસ, સ્વામી આનંદ પાસે એક માત્ર સ્વેટર, ઓઢવા-પાથરવા માટે બબ્બે ધાબળા, ગામલોકોએ ઊનનાં કચરા માંથી બનાવી આપેલ જોડા જે માત્ર ત્રણેક કલાક જ કામ આપવાનાં હતાં, એક કુહાડી અને એક તાંબાની લોટી, પોતપોતાનું જળપાત્ર...આ સિવાય રોટલા, મગજનાં લાડુ અને ચાની સામગ્રી. આજે તો આ વિચારતાં પણ થથરી જવાય. હોકાયંત્ર,ટોર્ચ, કેમેરા કે દૂરબીન તો દૂર દૂરની વાત. જે સમયે પરદેશી પર્વતારોહીઓ લાખેકનાં ખર્ચે આવાં સાહસો કરતાં ત્યારે આ સાધુ ટોળીએ માત્ર ૩૯ રૂપિયામાં આ યાત્રા કરેલી!!! એ પણ માત્ર ખાવાપીવાની વસ્તુઓ માટે.
આખુંય પુસ્તક વાંચતાં આપણે પણ એમની સાથે પ્રવાસ કરી રહ્યાં હોઈએ, એ જ પહાડોની તેમનાં શબ્દોનાં આધારે કલ્પના કરતાં ચિત્રો ઉભાં કરતાં જઈએ, એ ઠંડકમાં એમણે કેવી હાડમારી ભોગવી હશે તે વિશે વિચારમાં હોઈએ, હિમાલયનાં કુદરતી સોંદર્ય વિશે તેમનાં વર્ણનથી ત્યાં પહોંચી જવા વ્યાકૂળ થઈ ઉઠીએ, એ સમયનાં પહાડી લોકોને કે તેમનાં જીવનને શબ્દચિત્રોને આધારે સમજવાની કોશિષ કરતાં હોઈએ, કે રસ્તે આવતાં જોખમો વિશે વાંચીને રોમાંચિત થઈ જતાં હોઈએ અને પુસ્તક મૂકતાં ફરી આપણી વાસ્તવિક ધરતી પર આવતાં સમજાય કે એ બધું કેટલું કપરું હતું.
આ પુસ્તક વાંચતાં સતત એવું થાય કે આવું વધારે ને વધારે લખાવું જોઈએ અને આજની પેઢીએ, યુવાનોએ સાહસ સાથે આવાં પુસ્તકોને જોડીદાર બનાવવા જોઈએ.
આ વાત એમની બાજુમાં રહેતાં સાધુએ સાંભળી, બહાર આવી પૂછ્યું તમારાં પાડોશીને વિશે કાંઈ જાણો છો? ખૂબ ઓછાં બોલા સ્વામી પ્રબોધાનંદજી એમની બાજુમાં રહેતાં. ફિલોસોફી ભણેલાં આ ખડતલ સાધુ પાસે વાત કઢાવવી અઘરી હતી પણ જે જાણકારી હતી એટલાં પરથી સ્વામી આનંદને અંત્યંત ઉત્સુકતા હતી. કેમ ના હોય? એ જમાનામાં સાવ ટાંચા સાધનો સાથે ગંગોત્રીથી બદરીનાથ! મારી પણ હાલત કાંઈ એવી જ થઈ અને એક બેઠકે આ નાનકડું પુસ્તક વાંચી ગઈ.
Across the Gangotri glasiar અથવા ગુજરાતીમાં 'બરફ રસ્તે બદરીનાથ'.
સ્વામી પ્રબોધાનંદજી એ જ્યારથી કોઈ બર્ની સાહેબ વિશે સાંભળેલું જે ગોમુખથી કાલિંદી ઘાટ થી બદરીનાથ પહોંચેલ ત્યારથી એ ઈચ્છા પણ બીજા વિશ્વયુદ્ધ ને લીધે અટકવું પડ્યું. છતાં એનાં વિશે જે માહિતી એકઠી કરી શકાય તે કરતાં ગયાં. આજે આપણે ઇન્ટરનેટનાં જમાનામાં કદાચ સમજી પણ ન શકીએ કે એ પણ કેટલી અને કેવી કુસ્તીનું કામ હશે.
સ્વામી પ્રબોધાનંદજી સાથે બીજા પાંચ સાધુઓ અને ગાઈડ તરીકે દલીપસિંઘ આમ ટોટલ સાત જણની ટોળીએ આ અંત્યંત સાહસિક સંકલ્પ લીધો. એમની પાસે પરદેશી પર્વતારોહીઓની માફક જાતજાતનાં સાધનો કે વધુ કાંઈ સગવડ પણ નહીં. એમાંય બે સાધુ દિગંબર. છ દિવસનાં આ સાહસ માટે બે જોડી સન ગ્લાસ, સ્વામી આનંદ પાસે એક માત્ર સ્વેટર, ઓઢવા-પાથરવા માટે બબ્બે ધાબળા, ગામલોકોએ ઊનનાં કચરા માંથી બનાવી આપેલ જોડા જે માત્ર ત્રણેક કલાક જ કામ આપવાનાં હતાં, એક કુહાડી અને એક તાંબાની લોટી, પોતપોતાનું જળપાત્ર...આ સિવાય રોટલા, મગજનાં લાડુ અને ચાની સામગ્રી. આજે તો આ વિચારતાં પણ થથરી જવાય. હોકાયંત્ર,ટોર્ચ, કેમેરા કે દૂરબીન તો દૂર દૂરની વાત. જે સમયે પરદેશી પર્વતારોહીઓ લાખેકનાં ખર્ચે આવાં સાહસો કરતાં ત્યારે આ સાધુ ટોળીએ માત્ર ૩૯ રૂપિયામાં આ યાત્રા કરેલી!!! એ પણ માત્ર ખાવાપીવાની વસ્તુઓ માટે.
આખુંય પુસ્તક વાંચતાં આપણે પણ એમની સાથે પ્રવાસ કરી રહ્યાં હોઈએ, એ જ પહાડોની તેમનાં શબ્દોનાં આધારે કલ્પના કરતાં ચિત્રો ઉભાં કરતાં જઈએ, એ ઠંડકમાં એમણે કેવી હાડમારી ભોગવી હશે તે વિશે વિચારમાં હોઈએ, હિમાલયનાં કુદરતી સોંદર્ય વિશે તેમનાં વર્ણનથી ત્યાં પહોંચી જવા વ્યાકૂળ થઈ ઉઠીએ, એ સમયનાં પહાડી લોકોને કે તેમનાં જીવનને શબ્દચિત્રોને આધારે સમજવાની કોશિષ કરતાં હોઈએ, કે રસ્તે આવતાં જોખમો વિશે વાંચીને રોમાંચિત થઈ જતાં હોઈએ અને પુસ્તક મૂકતાં ફરી આપણી વાસ્તવિક ધરતી પર આવતાં સમજાય કે એ બધું કેટલું કપરું હતું.
આ પુસ્તક વાંચતાં સતત એવું થાય કે આવું વધારે ને વધારે લખાવું જોઈએ અને આજની પેઢીએ, યુવાનોએ સાહસ સાથે આવાં પુસ્તકોને જોડીદાર બનાવવા જોઈએ.
No comments:
Post a Comment